પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એર વાઇસ માર્શલ (નિવૃત્ત) ચંદનસિંહ રાઠોરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 29 MAR 2020 11:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર વાઇસ માર્શલ (નિવૃત્ત) ચંદનસિંહ રાઠોરના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત એર વાઇસ માર્શલ (નિવૃત્ત) ચંદનસિંહ રાઠોરની નિષ્ઠા અને સમર્પણ સાથેની સેવા ક્યારેય ભૂલી નહીં શકે. તેઓ એક બહાદુર વાયુ યોદ્ધા હતા જેમણે ભારતને વધુ મજબૂત અને સલામત બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. હું તેમના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.

 

RP



(Release ID: 1609224) Visitor Counter : 112