મંત્રીમંડળ

મંત્રીમંડળને ભારત અને મોરોક્કો વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર પર થયેલા એમઓયુ વિશે જાણકારી આપવામાં આવી

Posted On: 02 JAN 2019 6:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર પર ભારત અને મોરોક્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 25 સપ્ટેમ્બર, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

 

આ એમઓયુનો આશય ભારત અને મોરોક્કો વચ્ચે સુરક્ષા સાથે સંબંધિત નિદાન, સમાધાન અને નિવારણમાં જાણકારી અને અનુભવનાં આદાન-પ્રદાન માટે ગાઢ સહકારને પ્રોત્સાહન આપવાનો છે. એમઓયુનાં અમલથી સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં મોરોક્કો સાથે સંસ્થાગત અને ક્ષમતા નિર્માણ મારફતે મહત્વપૂર્ણ પારસ્પરિક લાભ થશે.

 

RP

 



(Release ID: 1558306) Visitor Counter : 181