રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારતે આસામના કચર જિલ્લામાં એક મેટલ પ્રોસેસિંગ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ચાર કામદારોના મૃત્યુ અને અન્ય બે કામદારોને ગંભીર ઈજાઓના અહેવાલ પર સ્વતઃ સંજ્ઞાન લીધું
આસામના ચીફ સેક્રેટરી અને કચરના SPને નોટિસ પાઠવી, આ બાબતે બે અઠવાડિયાની અંદર વિગતવાર અહેવાલ માંગ્યો
અહેવાલમાં ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્યની સ્થિતિ તેમજ મૃતકોના વારસદારોને અને ઈજાગ્રસ્ત કામદારોને વળતરની ચુકવણીનો સમાવેશ થવાની અપેક્ષા છે
प्रविष्टि तिथि:
29 JUL 2026 11:20AM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ભારતે મીડિયા રિપોર્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે કે 26 જુલાઈ 2026ના રોજ, આસામના કચર જિલ્લામાં એક મેટલ પ્રોસેસિંગ ફેક્ટરીમાં વિસ્ફોટમાં ચાર કામદારોના મૃત્યુ થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કથિત રીતે, વિસ્ફોટ પછી કામદારો પર પીગળેલી ધાતુ ઢોળાઈ ગઈ હતી. પીડિતોના પરિવારો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી ઘટનાઓ ફેક્ટરીમાં અગાઉ પણ બની ચૂકી છે.
કમિશને અવલોકન કર્યું છે કે મીડિયા રિપોર્ટની માહિતી, જો સાચી હોય, તો માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓને ઊભા કરે છે. તદનુસાર, તેણે આસામના ચીફ સેક્રેટરી અને કાચરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને નોટિસ પાઠવીને આ બાબતે બે અઠવાડિયાની અંદર વિગતવાર અહેવાલ માંગ્યો છે. અહેવાલમાં ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્યની સ્થિતિ, તેમજ મૃતકોના વારસદારોને અને ઈજાગ્રસ્ત કામદારોને વળતરની ચુકવણીનો સમાવેશ થવાની અપેક્ષા છે.
નોંધનીય છે કે, 27 જુલાઈ 2026ના રોજ પ્રકાશિત થયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીમાં 100થી વધુ કામદારો હાજર હતા.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2290914)
आगंतुक पटल : 13