પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિને મળ્યા

प्रविष्टि तिथि: 15 JUN 2026 11:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાતિસ્લાવાના રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી 2026માં AI ઇમ્પેક્ટ સમિટ માટે ભારતની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પેલેગ્રિની સાથેની તેમની અગાઉની મુલાકાતને પ્રેમથી યાદ કરી હતી. બંને નેતાઓએ ચાલુ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો અને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને લોકો-થી-લોકોના સંપર્કોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સંબંધોનું સ્વાગત કર્યું. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પેલેગ્રિનીએ રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક કલાકારો દ્વારા "વારાણસી શહેર" થીમ આધારિત ચિત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. તેઓએ સ્લોવાક સ્કૂલના બાળકો દ્વારા એક ખાસ યોગ પ્રદર્શન પણ જોયું હતું.

પ્રધાનમંત્રી પેલેગ્રિનીએ પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પેલેગ્રિનીનો તેમના ઉષ્મા અને આતિથ્ય માટે અને ભારત-સ્લોવાકિયા ભાગીદારીને તેમના અવિરત સમર્થન બદલ આભાર માન્યો હતો.

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2273385) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Telugu , Kannada , Malayalam