પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર સાથે ટેલિફોન પર વાતચીત કરી


બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પરના હુમલાઓની ભારતની સખત નિંદાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રીએ તણાવ ઘટાડવા, સંવાદ અને રાજદ્વારી માર્ગ અપનાવવા માટેની અપીલ દોહરાવી

કુવૈતમાં ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષા પર વ્યક્તિગત ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ અમીરનો આભાર માન્યો

प्रविष्टि तिथि: 09 JUN 2026 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈત રાજ્યના અમીર, મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વિકસ પામી રહેલી સુરક્ષા સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ તણાવમાં થઈ રહેલા વધારા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને કુવૈતની સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતા પરના હુમલાઓની ભારતની સખત નિંદાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વહેલામાં વહેલી તકે શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે તણાવ ઘટાડવા, સંવાદ અને રાજદ્વારી માર્ગ અપનાવવા માટેની અપીલ દોહરાવી હતી.

કુવૈતમાં વસતા વિશાળ ભારતીય સમુદાયના સતત કલ્યાણ અને સુરક્ષા માટે વ્યક્તિગત ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ અમીરનો આભાર માન્યો હતો.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2270696) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam