ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 29–31 મે દરમિયાન કર્ણાટક, ગોવા અને કેરળની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
28 MAY 2026 1:54PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 29 થી 31 મે, 2026 દરમિયાન કર્ણાટક, ગોવા અને કેરળની ત્રણ દિવસીય મુલાકાત લેશે.
29 મેના રોજ, ઉપરાષ્ટ્રપતિ કર્ણાટકના બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત વૈશ્વિક ઉજવણીમાં હાજરી આપશે. ત્યારપછી તે જ દિવસે, તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી બીડીટી કોલેજ ઓફ એન્જિનિયરિંગની પ્લેટિનમ જુબિલી (અમૃત મહોત્સવ) ઉજવણીમાં હાજરી આપશે.
30 મેના રોજ, ઉપરાષ્ટ્રપતિ પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારપછી તે જ દિવસે તેઓ CSIR–નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનગ્રાફી, ગોવાની મુલાકાત લેશે.
31 મેના રોજ, ઉપરાષ્ટ્રપતિ શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ મંજુનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કર્ણાટકના બેલ્થંગડી ખાતે સીરી (SIRI) ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ તે જ દિવસે, ઉપરાષ્ટ્રપતિ કોટ્ટયામ ખાતે દીપિકા મલયાલમ દૈનિકની 140મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણીનું ઉદ્ઘાટન કરવા કેરળની મુલાકાત લેશે. તેઓ સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી સી. સદાનંદન માસ્ટર દ્વારા આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા કન્નુરની પણ મુલાકાત લેશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2266410)
મુલાકાતી સંખ્યા : 9