ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બી. સી. ખંડુરીજીને દેહરાદૂન ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 20 MAY 2026 11:27AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બી. સી. ખંડુરીજીને દેહરાદૂન ખાતે તેમના નિવાસસ્થાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.


 

સ્વર્ગસ્થ નેતાને શ્રદ્ધાંજલિ આપતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મેજર જનરલ ખંડુરીને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું.

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે કનેક્ટિવિટી સુધારવા અને ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મેજર જનરલ ખંડુરીએ આપેલું યોગદાન દેશની વિકાસ યાત્રામાં કાયમી વારસો રહ્યું છે.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2263100) મુલાકાતી સંખ્યા : 9