ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ડૉ. રામ મનોહર લોહિયાજી સ્વતંત્રતા ચળવળથી લઈને સામાજિક સુધારણા અને ગરીબો અને વંચિતોની સેવા માટે આજીવન સમર્પિત રહ્યાં
સમાનતા, શિક્ષણ અને માતૃભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ ડૉ. રામ મનોહર લોહિયાજી સામાજિક જીવનમાં શુદ્ધતાના આદર્શ બન્યા
પોસ્ટેડ ઓન:
23 MAR 2026 11:59AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું "ડૉ. રામ મનોહર લોહિયાજી તેમના સમગ્ર જીવન દરમિયાન સ્વતંત્રતા ચળવળ, સામાજિક સુધારાઓ અને ગરીબો અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત રહ્યા હતા. સમાનતા, શિક્ષણ અને તેમની માતૃભાષા માટે પ્રતિબદ્ધ ડૉ. રામ મનોહર લોહિયાજી સામાજિક જીવનમાં શુદ્ધતાના ઉદાહરણ બન્યા. ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2243760)
મુલાકાતી સંખ્યા : 13