ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વીરાંગના રાણી અવંતીબાઈ લોધીના બલિદાન દિવસ પર તેમને નમન કર્યાં
વીરાંગના રાણી અવંતીબાઈ લોધીનું જીવન હિંમત, બલિદાન અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ છે
1857ના સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા અને આત્મસમર્પણને બદલે વીરગતિ પસંદ કરી હતી
પોસ્ટેડ ઓન:
20 MAR 2026 11:39AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વીરાંગના રાણી અવંતીબાઈ લોધીને તેમના બલિદાનદિવસ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
X પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "વીરાંગના રાણી અવંતીબાઈ લોધીનું જીવન હિંમત, બલિદાન અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ છે. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં, તેમણે અંગ્રેજો સામે બહાદુરીથી લડત આપી અને આત્મસમર્પણને બદલે વીરગતિ પસંદ કરી હતી. તેમનું બલિદાન રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ અને આત્મસન્માનનો અમર સંદેશ છે. તેમના બલિદાન દિવસ પર આદરપૂર્વક વંદન."
https://x.com/AmitShah/status/2034818063829541289?s=20
(રીલીઝ આઈડી: 2242861)
મુલાકાતી સંખ્યા : 16