ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર માટે રૂ. 1,912.99 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી


વર્ષ 2025માં પૂર/આકસ્મિક પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને ચક્રવાત 'મોન્થા'થી પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી

ઉચ્ચ-સ્તરીય સમિતિએ આંધ્ર પ્રદેશ માટે ₹341.48 કરોડ, છત્તીસગઢ માટે ₹15.70 કરોડ, ગુજરાત માટે ₹778.67 કરોડ, હિમાચલ પ્રદેશ માટે ₹288.39 કરોડ, નાગાલેન્ડ માટે ₹158.41 કરોડ અને જમ્મુ અને કાશ્મીર માટે ₹330.34 કરોડની સહાય મંજૂર કરી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર કુદરતી આફતો અને આફતોના સમયે રાજ્ય સરકારો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી રહે છે, જરૂરી તમામ સહાય પૂરી પાડે છે

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, કેન્દ્ર સરકારે SDRF હેઠળ 28 રાજ્યોને ₹20,735.20 કરોડ અને NDRF હેઠળ 21 રાજ્યોને ₹3,628.18 કરોડની સહાય જાહેર કરી

પોસ્ટેડ ઓન: 13 MAR 2026 11:01AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વર્ષ 2025માં પૂર, આકસ્મિક પૂર, વાદળ ફાટવા, ચક્રવાત 'મોન્થા' અને ભૂસ્ખલનથી પ્રભાવિત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને 1,912.99 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે.

કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવી છે, જે વર્ષના શરૂઆતના બેલેન્સમાં ઉપલબ્ધ રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)ના 50%ના સમાયોજનને આધીન છે. કુલ રૂ. 1,912.99 કરોડમાંથી, આંધ્રપ્રદેશ માટે રૂ. 341.48 કરોડ, છત્તીસગઢ માટે રૂ. 15.70 કરોડ, ગુજરાત માટે રૂ. 778.67 કરોડ, હિમાચલ પ્રદેશ માટે રૂ. 288.39 કરોડ, નાગાલેન્ડ માટે રૂ. 158.41 કરોડ અને જમ્મુ-કાશ્મીર માટે રૂ. 330.34 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર કુદરતી આફતો અને કટોકટીના સમયે રાજ્ય સરકારો સાથે ખભેથી ખભા મિલાવીને ઉભી છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પહેલેથી જારી કરાયેલ રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ આપેલા નાણાં સિવાય આ વધારાની સહાય આપવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકાર SDRF હેઠળ 28 રાજ્યોને 20,735.20 કરોડ અને NDRF હેઠળ 21 રાજ્યોને3,628.18 કરોડ જાહેર કર્યા છે.

ઉપરાંત, રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ (SDMF) માંથી 23 રાજ્યોને5,373.20 કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (NDMF) માંથી 21 રાજ્યોને1,189.56 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2239430) મુલાકાતી સંખ્યા : 18