પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 3 માર્ચે “આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી અને મજબૂત કરવી” વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કરશે

પોસ્ટેડ ઓન: 02 MAR 2026 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી 3 માર્ચ 2026ના રોજ સવારે 11:15 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી અને મજબૂત કરવી” વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કરશે.

આ થીમ હેઠળ, ચાર અલગ-અલગ વેબિનાર સત્રો યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે જેમાં (i) મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રિયલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક ક્ષેત્રો, (ii) MSMEs, ફાયનાન્સ અને માર્કેટ એક્સેસ, (iii) સિટી ઇકોનોમિક રિજન્સ અને (iv) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ફ્રેટ (માલસામાનની હેરફેર) નો સમાવેશ થાય છે.

પોસ્ટ-બજેટ વેબિનાર ઔદ્યોગિક સ્કેલને વિસ્તારવા, તકનીકી નેતૃત્વને ઊંડું કરવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોના પાયાને મજબૂત કરવા માટે ભવિષ્યલક્ષી સુધારાના પુશ પર પ્રકાશ પાડશે. આ વિચાર-વિમર્શ આ અગ્રતાઓને અસરકારક કાર્યવાહીમાં અનુવાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ઉદ્યોગના સહભાગીઓની આંતરદૃષ્ટિ દ્વારા માર્ગદર્શન મેળવશે જેનો જમીની અનુભવ વધુ અસરકારક અમલીકરણમાં મદદરૂપ થશે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2234774) મુલાકાતી સંખ્યા : 12