પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ પર સૌને શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના પવિત્ર અવસરનું મહત્વ ઉજાગર કર્યું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
प्रविष्टि तिथि:
14 JAN 2026 10:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે મકરસંક્રાંતિ એ એક એવો તહેવાર છે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે, જે સંવાદિતા, સમૃદ્ધિ અને એકતાની ભાવનાનું પ્રતીક છે. તેમણે આશા વ્યક્ત કરી કે તલ અને ગોળની મીઠાશ દરેકના જીવનમાં ખુશી અને સફળતા લાવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે સૂર્ય દેવના આશીર્વાદ માંગ્યા.
શ્રી મોદીએ આ તહેવારના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યુ.
X પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"મારા બધા દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો આ દિવ્ય પ્રસંગ, તલ અને ગોળની મીઠાશથી ભરેલો, દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે. સૂર્ય દેવ સૌને આશીર્વાદ આપે."
"સંક્રાંતિનો આ શુભ પ્રસંગ દેશના વિવિધ ભાગોમાં સ્થાનિક રીતરિવાજો અનુસાર ઉજવવામાં આવે છે. હું સૂર્ય દેવને દરેકના સુખ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."
सूर्यो देवो दिवं गच्छेत् मकरस्थो रविः प्रभुः।
उत्तरायणे महापुण्यं सर्वपापप्रणाशनम्॥
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2214429)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam