ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહાન ખેડૂત નેતા, ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ચૌધરી ચરણસિંહજીનું જીવન કૃષિના ઉત્થાન, ખેડૂતોના કલ્યાણ અને સમાજ સેવા માટે સમર્પિત હતું
તેમણે ખેડૂતો અને ખેતીને શાસનના કેન્દ્રમાં રાખવાનું સાહસિક પગલું ભર્યું અને કટોકટી અને સરમુખત્યારશાહી શાસનને ઉથલાવી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી
प्रविष्टि तिथि:
23 DEC 2025 11:27AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહાન ખેડૂત નેતા, ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "હું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહાન ખેડૂત નેતા, ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ચૌધરી ચરણસિંહજીનું જીવન કૃષિના ઉત્થાન, ખેડૂતોના કલ્યાણ અને સમાજ સેવા માટે સમર્પિત હતું. તેમણે ખેડૂતો અને ખેતીને શાસનના કેન્દ્રમાં રાખવાનું સાહસિક પગલું ભર્યું. તેમણે કટોકટી અને સરમુખત્યારશાહી સત્તાને ઉથલાવી પાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2207635)
आगंतुक पटल : 9