પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રાહત રકમની જાહેરાત કરી

Posted On: 02 NOV 2025 10:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે;

રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનીથી હું દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખની સહાય મળશે. ઘાયલોને ₹50,000 મળશે: PM @narendramodi"

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2185697) Visitor Counter : 6