પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
પ્રધાનમંત્રી દ્વારા ઉત્તરાખંડમાં પૂર અને વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે 1200 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત
પ્રધાનમંત્રી દ્વારા મૃતકોના પરિવારો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50000 રૂપિયાની સહાયની જાહેરાત
પ્રધાનમંત્રી દ્વારા તાજેતરના પૂર અને ભૂસ્ખલનને કારણે અનાથ બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ વ્યાપક સહાયની જાહેરાત
પ્રધાનમંત્રી અસરગ્રસ્ત પરિવારોને મળ્યા અને શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી દ્વારા NDRF, SDRF અને Aapda Mitra સ્વયંસેવકોને પણ મળ્યા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી
કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપન અને પુન:ર્નિર્માણ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી
Posted On:
11 SEP 2025 5:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.
પ્રધાનમંત્રી દ્વારા ઉત્તરાખંડમાં રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દહેરાદૂનમાં એક સત્તાવાર બેઠક યોજી હતી. તેમણે ઉત્તરાખંડ માટે 1200 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી હતી.
પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને મદદ કરવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોનું પુનર્નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નવીનીકરણ, શાળાઓનું પુનર્નિર્માણ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ દ્વારા રાહત પૂરી પાડવા અને પ્રાણીઓ માટે મીની કીટનું વિતરણ જેવા પગલાંનો સમાવેશ થશે.
ગ્રામીણ વિસ્તારોમાં ઘરોના પુનર્નિર્માણ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા રજૂ કરાયેલ "વિશેષ પ્રોજેક્ટ" પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ હેઠળ, પૂરને કારણે જેમના ઘરોને નુકસાન થયું છે તેવા પાત્ર પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે પહેલાથી જ આંતર-મંત્રી કેન્દ્રીય ટીમો ઉત્તરાખંડ મોકલી દીધી છે, જે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યની મુલાકાત લેશે અને તેમના વિગતવાર અહેવાલના આધારે વધુ સહાય પર વિચાર કરવામાં આવશે.
કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરશે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે.
પ્રધાનમંત્રી ઉત્તરાખંડના પરિવારોને મળ્યા જેઓ ભૂસ્ખલન અને પૂર સહિતની તાજેતરની કુદરતી આફતોથી પ્રભાવિત થયા છે. તેમણે તમામ અસરગ્રસ્ત લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર અને અન્ય આફતોમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી હતી.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અનાથ થયેલા બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના દ્વારા સહાય મળશે, જે તેમની લાંબા ગાળાની સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને નિયમો હેઠળ જાહેર કરાયેલી સહાય, જેમાં આ સમયે રાજ્યોને અગાઉથી ચુકવણીનો સમાવેશ થાય છે, તે વચગાળાના સમયગાળા માટે છે. કેન્દ્ર સરકાર રાજ્યના મેમોરેન્ડમ અને કેન્દ્રીય ટીમોના અહેવાલના આધારે મૂલ્યાંકનની વધુ સમીક્ષા કરશે. તેમણે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં યોગદાન આપવા બદલ NDRF, SDRF, સેના, રાજ્ય વહીવટીતંત્ર અને અન્ય સેવા-લક્ષી સંસ્થાઓના કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારી અને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કરશે.
SM/NP/GP/JD
(Release ID: 2165834)
Visitor Counter : 2