પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાર્તાલાપ કર્યો
Posted On:
18 AUG 2025 8:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે સમૃદ્ધ વાર્તાલાપ કર્યો, જે રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ હતી. મુલાકાત દરમિયાન, બંનેએ શ્રી શુક્લાના અવકાશમાં અનુભવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને દેશના મહત્વાકાંક્ષી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ - ગગનયાન સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"શુભાંશુ શુક્લા સાથે ખૂબ સારી વાતચીત થઈ. અમે અવકાશમાં તેમના અનુભવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ તેમજ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી. ભારતને તેમના પરાક્રમ પર ગર્વ છે.
@gagan_shux”
SM/IJ/GP/JD
(Release ID: 2157700)