WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

વેવ્ઝ 2025 બોલીવુડ સિનેમાના દિગ્ગજ મનોજ કુમારને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપે છે


વેવ્ઝ બ્રેકઆઉટ સત્ર: "રિમેમ્બરિંગ મનોજ કુમાર: અ ફાઇન ફિલ્મમેકર, અ ટ્રુ નેશનાલિસ્ટ" ભાવના, સૂઝ અને સિનેમેટિક વારસા સાથે સમાપ્ત થયું

 Posted On: 01 MAY 2025 5:47PM |   Location: PIB Ahmedabad

વેવ્ઝ 2025માં જ્યારે "રિમેમ્બરિંગ મનોજ કુમાર: અ ફાઇન ફિલ્મમેકર, અ ટ્રુ નેશનાલિસ્ટ" સત્રમાં ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને દેશભક્તિના અવાજોમાંના એકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે  સિનેમાનો માહોલ અનહદ જોવા મળ્યો હતો. પ્રખ્યાત ફિલ્મ વિવેચક અને પોડકાસ્ટર મયંક શેખર દ્વારા સંચાલિત, આ સત્રમાં ફિલ્મ અને સાહિત્ય જગતના અગ્રણી લોકોએ સુપ્રસિદ્ધ અભિનેતા, લેખક અને ફિલ્મ નિર્માતાના વારસા પર ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.

1937માં હરિકિશન ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમારનું જીવન તેમની ફિલ્મો જેટલું જ નાટકીય અને પ્રેરણાદાયક હતું. ભાગલા બાદ હતાશ મન અને નવા સપનાઓ સાથે તેઓ બોમ્બે આવ્યા પણ ફિલ્મી જોડાણ નહોતું. સ્વ-શિક્ષિત વાર્તાકાર અને શરૂઆતમાં ઉર્દૂમાં પટકથાઓ લખનારા કુમારે એક અલગ સિનેમેટિક અવાજ બનાવ્યો - જેમાં મુખ્ય પ્રવાહની અપીલને રાષ્ટ્રવાદ અને સામાજિક અંતરાત્માની ઊંડી ભાવના સાથે જોડવામાં આવી હતી.

મનોજ કુમારના પુત્ર અને અભિનેતા કુણાલ ગોસ્વામીએ સત્રની શરૂઆત આત્મીય યાદો સાથે કરી હતી. "મારા પિતાએ ભાગલા દરમિયાન બધું ગુમાવ્યું, પરંતુ ક્યારેય પોતાનું વિઝન ગુમાવ્યું નહીં. શરણાર્થી શિબિરોમાં રહેવાથી લઈને ઉર્દૂમાં પ્રતિષ્ઠિત વાર્તાઓ લખવા સુધી, તેમની સફર સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. તેમની દેશભક્તિ એટલી વ્યક્તિગત હતી કે,તેઓ ભગત સિંહની માતાને 'શહીદ'ના પ્રીમિયરમાં લાવ્યા હતા. તેમની એક દુર્લભ સિદ્ધિ એ છે કે, તેમણે બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી જે ખૂબ જ રાષ્ટ્રવાદી પણ હતી."

પેજ 3, ચાંદની બાર અને ફેશન જેવી પ્રશંસનીય ફિલ્મોના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક મધુર ભંડારકરે મનોજ કુમારની સિનેમેટિક ટેકનિકને યાદ કરતા કહ્યું કે તેમણે ગીતો શૂટ કરવાની રીત અદ્ભુત હતી. ભંડારકરે કહ્યું કે મનોજ કુમારની ફિલ્મો રાષ્ટ્રવાદ અને સામાજિક વાસ્તવિકતાથી ભરેલી હતી. જેનો તેમણે તેમના કામમાં પણ પુનરોચ્ચાર કર્યો છે. ભંડારકરે કહ્યું, "ચાંદની બાર ઘણી રીતે મનોજ કુમારના પાત્રને અવચેતન શ્રદ્ધાંજલિ હતી."

વરિષ્ઠ લેખક અને ગીતકાર ડૉ. રાજીવ શ્રીવાસ્તવ એક અદ્ભુત વાર્તા શેર કરી હતી. “દિલ્હીમાં તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની હાજરીમાં 'શહીદ' ફિલ્મના સ્ક્રીનિંગમાં પ્રધાનમંત્રીએ મનોજ કુમારને તેમના સૂત્ર 'જય જવાન જય કિસાન' પર આધારિત ફિલ્મ બનાવવા કહ્યું હતું. આનાથી પ્રેરિત થઈને મનોજ કુમારે મુંબઈ પાછા ફરતી વખતે રાતોરાત ટ્રેન મુસાફરી દરમિયાન જ 'ઉપકાર'ની વાર્તા લખી હતી. મનોજ કુમારનું જીવન સામાન્ય માણસ સાથે વાત કરવાનું સિનેમેટિક મિશન હતું. આમ તેમની ભાવના 'WAVES'ના સારને પ્રતિબિંબિત કરે છે.”

વરિષ્ઠ કટારલેખક અને જીવનચરિત્રકાર ભારતી એસ. પ્રધાને એક માર્મિક ટિપ્પણી કરી હતી.

"તેમની અપાર સફળતા છતાં તેઓ અત્યાંત મિલનસાર હતા. જ્યારે તેઓ બીમાર હતા ત્યારે પણ તેઓ તેમની આગામી ફિલ્મ વિશે સપના જોતા રહેતા હતા. હંમેશા આગળ જોવાનો, તે જ તેમનો જુસ્સો હતો."

એક વારસો જે જીવંત છે

મનોજ કુમાર જે ભારત કુમાર તરીકે જાણીતા હતા. તેમને પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની ફિલ્મો - શહીદ, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન, ઉપકાર, ક્રાંતિ - માત્ર સિનેમેટિક સીમાચિહ્નો જ નહીં પણ સાંસ્કૃતિક સીમાચિહ્નો પણ હતા. સત્રનો અંત શ્રોતાઓ તરફથી તાળીઓના ગડગડાટ અને દેશભક્તિ અને વાર્તા કહેવાને ઉત્કૃષ્ટ બનાવનાર માણસ પ્રત્યે કૃતજ્ઞતાની સામૂહિક ભાવના સાથે થયો હતો.

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


Release ID: (Release ID: 2126060)   |   Visitor Counter: 15