WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

સંસ્કૃતિ, એક શક્તિશાળી દ્રષ્ટિકોણ જેના દ્વારા બ્રાન્ડ્સ તેમના પ્રેક્ષકોને સમજી શકે છે, તેમની ઓફરોને વ્યક્તિગત કરી શકે છે અને અર્થપૂર્ણ જોડાણો ફેલાવી શકે છે: WAVES 2025 ખાતે પ્રેમ નારાયણ, ઓગિલ્વી


બ્રાન્ડ નિર્માણ માટે ઈંધણ તરીકે સંસ્કૃતિ - WAVES 2025 ખાતે માસ્ટરક્લાસમાંથી પ્રેમ નારાયણ, ઓગિલ્વી દ્વારા આંતરદૃષ્ટિ

 Posted On: 01 MAY 2025 6:02PM |   Location: PIB Ahmedabad

WAVES 2025ના શરૂઆતના દિવસે, ઓગિલ્વીના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર શ્રી પ્રેમ નારાયણ દ્વારા બ્રાન્ડ-બિલ્ડિંગ પર એક આકર્ષક માસ્ટરક્લાસ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતીય ગ્રાહક સાથે પડઘો પાડતી બ્રાન્ડ્સ બનાવવા માટે સંસ્કૃતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ઊંડી સમજ આપવામાં આવી હતી.

"બ્રાન્ડ બનાવવા માટે ઇંધણ તરીકે સંસ્કૃતિ" શીર્ષકવાળા તેમના સત્રમાં, શ્રી નારાયણે બ્રાન્ડ કથાઓને આકાર આપવામાં અને ગ્રાહક વર્તણૂકને પ્રભાવિત કરવામાં સાંસ્કૃતિક સુસંગતતાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે ભારતમાં જાહેરાતો કેવી રીતે સાંસ્કૃતિક પરંપરાઓમાં મૂળ રાખીને વિકસિત થઈ છે અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે સુસંગત બ્રાન્ડ્સ કેવી રીતે સ્થાયી ગ્રાહક વફાદારી મેળવવાની શક્યતા વધારે છે તે દર્શાવ્યું.

કેડબરીની જાહેરાત યાત્રાને એક ઉદાહરણ તરીકે ટાંકીને, શ્રી નારાયણે સમજાવ્યું કે કેવી રીતે બ્રાન્ડે ચોકલેટને આ ઊંડ મૂળ ધરાવતી ધાર્મિક વિધિના આધુનિક અભિવ્યક્તિ તરીકે સ્થાન આપીને 'મીઠા' (મીઠાઈ)ની ભારતીય પરંપરામાં સફળતાપૂર્વક સમાવિષ્ટ કરી છે. આ સાંસ્કૃતિક ગોઠવણીએ બ્રાન્ડને ભારતીય ઘરોમાં એક અનન્ય અને સ્થાયી જગ્યા બનાવવામાં મદદ કરી, ઉજવણીઓ અને રોજિંદા ક્ષણોને ફરીથી વ્યાખ્યાયિત કરી હતી.

સત્રમાં અન્ય ઝુંબેશો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો જેણે બ્રાન્ડ લાભો પહોંચાડવા માટે સાંસ્કૃતિક આંતરદૃષ્ટિનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. ઉદાહરણોમાં CEAT ના સલામતી સંદેશા અને ફેવિકોલની રમૂજી છતાં સાંસ્કૃતિક રીતે સુસંગત વાર્તા કહેવાનો સમાવેશ થાય છે - જે બંને બ્રાન્ડની યાદશક્તિ અને ભાવનાત્મક જોડાણને વધારે છે.

શ્રી નારાયણે ભાર મૂક્યો કે "બ્રાન્ડ પ્રેમ" બનાવવા માટે ઉત્પાદન સુવિધાઓથી આગળ વધે છે - તેના માટે બ્રાન્ડને સાંસ્કૃતિક ફેબ્રિકમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ભારતીય આતિથ્યના પ્રતીક તરીકે ચાનો સરળ વિચાર વિવિધ બ્રાન્ડ્સ દ્વારા સર્જનાત્મક રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જેથી એકતા અને પરિચિતતા પર ભાર મૂકવામાં આવે, જે બ્રાન્ડના અનુભવને વધુ સંબંધિત અને હૃદયસ્પર્શી બનાવે છે. તેમણે પ્રાદેશિક સંવેદનશીલતાઓ અનુસાર સંદેશાવ્યવહારને અનુરૂપ બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. ભારતની સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા સાથે, બ્રાન્ડિંગમાં પ્રાદેશિક કસ્ટમાઇઝેશન ફક્ત અસરકારક જ નથી - તે આવશ્યક છે.

માસ્ટરક્લાસે સાંસ્કૃતિક પ્રસંગો અને ડિજિટલ ટેકનોલોજીનું સંકલન વ્યવસાય વિકાસ માટે નવા માર્ગો કેવી રીતે ખોલે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. શાહરુખ ખાન દર્શાવતી કેડબરી દ્વારા "માય એડ" ઝુંબેશને હાયપર-પર્સનલાઇઝ્ડ જાહેરાત માટે એક મોડેલ તરીકે રજૂ કરવામાં આવી હતી જે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે કરે છે, જ્યારે શેર કરેલી સાંસ્કૃતિક ક્ષણો સાથે પણ વાત કરે છે.

 

શ્રી નારાયણને નોંધ્યું હતું કે ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ સાંસ્કૃતિક સંકેતોથી સમૃદ્ધ છે. જેનો ઉપયોગ વધુ સંદર્ભિત અને પડઘો પાડતી વાર્તા કહેવા માટે કરી શકાય છે. તેમણે ટ્રકર્સ માટે આઇ ટેસ્ટ મેનૂ ઝુંબેશ તરફ ધ્યાન દોર્યું, જેણે ચોક્કસ પ્રેક્ષકો માટે સંદેશાને વ્યક્તિગત કર્યો જ નહીં પરંતુ મૂર્ત સામાજિક પ્રભાવ પણ બનાવ્યો - અત્યાર સુધીમાં 42,000 થી વધુ ટ્રકર્સને લાભ આપ્યો છે.

સત્રનું સમાપન કરતા, નારાયણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસ્કૃતિ એક શક્તિશાળી લેન્સ છે. જેના દ્વારા બ્રાન્ડ્સ તેમના પ્રેક્ષકોને સમજી શકે છે, તેમની ઓફરોને વ્યક્તિગત કરી શકે છે અને અર્થપૂર્ણ જોડાણોને સ્પાર્ક કરી શકે છે. આ સત્રમાં એવા બ્રાન્ડ્સ માટે એક રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારતની સાથે વિકાસ કરવા માંગે છે - તેના લોકોની ભાષા બોલીને, તેમની પરંપરાઓ અને તેમની આકાંક્ષાઓ સાથે.

 

AP/IJ/GP/JD


Release ID: (Release ID: 2125938)   |   Visitor Counter: 28