પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 20 FEB 2025 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અરુણાચલ પ્રદેશ તેની સમૃદ્ધ પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ માટે જાણીતું છે. શ્રી મોદીએ એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે અરુણાચલ પ્રદેશનો વિકાસ ચાલુ રહે અને આવનારા વર્ષોમાં તેની પ્રગતિ અને સંવાદિતાની યાત્રા સતત આગળ વધતી રહે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

રાજ્ય સ્થાપના દિવસ પર અરુણાચલ પ્રદેશના લોકોને શુભેચ્છાઓ! આ રાજ્ય તેની સમૃદ્ધ પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ માટે જાણીતું છે. અરુણાચલ પ્રદેશના મહેનતુ અને ગતિશીલ લોકો ભારતના વિકાસમાં ભારે યોગદાન આપી રહ્યા છે, જ્યારે તેમનો જીવંત આદિવાસી વારસો અને આકર્ષક જૈવવિવિધતા રાજ્યને ખરેખર ખાસ બનાવે છે. અરુણાચલ પ્રદેશનો વિકાસ ચાલુ રહે અને આવનારા વર્ષોમાં તેની પ્રગતિ અને સંવાદિતાની યાત્રા સતત આગળ વધતી રહે.”

AP/JY/GP/JD


(રીલીઝ આઈડી: 2105003) મુલાકાતી સંખ્યા : 91