પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 13 FEB 2025 9:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે આ મહિનાના 23મી તારીખે યોજાનારા મન કી બાત કાર્યક્રમ માટે દરેકને પોતાના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ પણ આપ્યું છે.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ!

રેડિયો અનેક લોકો માટે એક કાલાતીત જીવનરેખા રહ્યો છે - લોકોને માહિતી આપતો, પ્રેરણા આપતો અને જોડતો. સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, તે એક શક્તિશાળી માધ્યમ છે, જે સર્જનાત્મકતાની ઉજવણી કરે છે.

હું રેડિયોની દુનિયા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું. હું તમને બધાને આ મહિનાની 23મી તારીખે યોજાનારા #MannKiBaat કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો શેર કરવા માટે પણ આમંત્રણ આપું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2102601) મુલાકાતી સંખ્યા : 145