પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 30 JAN 2025 9:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. હું આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કરું છું.

AP/IJ/GP


(રીલીઝ આઈડી: 2097531) મુલાકાતી સંખ્યા : 171