પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આપણા નિવૃત્ત સૈનિકો, નાયક અને દેશભક્તિનાં કાયમી પ્રતિકો છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 14 JAN 2025 1:21PM by PIB Ahmedabad

આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના બલિદાન, હિંમત અને ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. આપણી સરકાર એવી છે જેણે હંમેશા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને અમે આવનારા સમયમાં પણ આવું કરતા રહીશું.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2092784) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam