પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
04 JAN 2025 12:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાષ્ટ્ર દ્વારા તેમને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે અને તેમના પ્રયાસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2090096)
आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam