પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ઓસામુ સુઝુકીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
27 DEC 2024 5:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગમાં સુપ્રસિદ્ધ વ્યક્તિ શ્રી ઓસામુ સુઝુકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે શ્રી ઓસામુ સુઝુકીના સ્વપ્નદ્રષ્ટા કાર્યથી ગતિશીલતા અંગેની વૈશ્વિક ધારણાઓને પુનઃ આકાર આપવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળ, સુઝુકી મોટર કોર્પોરેશન એક વૈશ્વિક પાવરહાઉસ બની ગયું છે, જેણે પડકારોને સફળતાપૂર્વક નેવિગેટ કરીને, નવીનતા અને વિસ્તરણને આગળ ધપાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
“વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગમાં સુપ્રસિદ્ધ વ્યક્તિ શ્રી ઓસામુ સુઝુકીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમના સ્વપ્નદ્રષ્ટા કાર્યે ગતિશીલતાની વૈશ્વિક ધારણાઓને ફરીથી આકાર આપી. તેમના નેતૃત્વ હેઠળ, સુઝુકી મોટર કોર્પોરેશન એક વૈશ્વિક પાવરહાઉસ બની ગયું છે, જેણે પડકારોને સફળતાપૂર્વક નેવિગેટ કરીને, નવીનતા અને વિસ્તરણને આગળ ધપાવ્યું હતું. તેમને ભારત પ્રત્યે ઊંડો લગાવ હતો અને મારુતિ સાથેના તેમના સહયોગથી ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ક્રાંતિ આવી હતી.
“હું મિસ્ટર સુઝુકી સાથેની મારી અસંખ્ય ઈન્ટરએક્શન્સની ગમતી યાદોને યાદ કરું છું અને તેમના વ્યવહારિક અને નમ્ર અભિગમની ઊંડી પ્રશંસા કરું છું. તેમણે ઉદાહરણ દ્વારા નેતૃત્વ કર્યું, સખત મહેનતનું ઉદાહરણ, વિસ્તૃત ધ્યાન અને ગુણવત્તા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા. તેમના પરિવાર, સહકર્મીઓ અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2088498)
आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam