પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન
મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપે છે
प्रविष्टि तिथि:
05 DEC 2024 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું
“શ્રી દેવેન્દ્ર ફડણવીસજીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.
શ્રી એકનાથ શિંદેજી અને શ્રી અજિત પવારજીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.
આ ટીમ અનુભવ અને ગતિશીલતાનું મિશ્રણ છે અને આ ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ મહારાષ્ટ્રમાં મહાયુતિને ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. આ ટીમ રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને સુશાસનની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરશે.
હું મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપું છું.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2081335)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam