પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે વાત કરી અને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રીએ ડૉ.રામગુલામને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેની વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ ગાઢ અને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી
Posted On:
11 NOV 2024 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. નવીનચંદ્ર રામગુલામને સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમને તેમના નવા કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને મોરેશિયસના મૈત્રીપૂર્ણ લોકોની સમૃદ્ધિ અને સુખાકારીને સમર્થન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ભારત અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ડૉ. રામગુલામ અને તેમજ રાષ્ટ્રપિતા સર શિવસાગર રામગુલામ દ્વારા વર્ષોથી આપવામાં આવતા અમૂલ્ય યોગદાનને યાદ કર્યાં હતા.
પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા રામગુલામે પ્રધાનમંત્રી મોદી દ્વારા ભારતની મુલાકાત માટેનું આપવામાં આવેલું આમંત્રણ સ્વીકાર્યું હતું.
બંને નેતાઓએ વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ ગાઢ અને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2072666)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam