પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
11 NOV 2024 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અદભૂત વ્યક્તિ અને બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ તરીકે તેમને યાદ કરીને, શ્રી મોદીએ સમૃદ્ધ, મજબૂત અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય તેવા ભારતના તેમના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાન વ્યક્તિ હતા અને બુદ્ધિ, પ્રામાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ હતા. તેઓ લોકશાહી મૂલ્યો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે ઊંડે સુધી પ્રતિબદ્ધ હતા.
આચાર્ય કૃપાલાની અન્યાય સામે લડવામાં ડરતા ન હતા. આપણે એક એવા ભારતના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ જે સમૃદ્ધ, મજબૂત હોય અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2072260)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam