પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક કારખાનામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

प्रविष्टि तिथि: 22 AUG 2024 6:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક ફેક્ટરીમાં થયેલા દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

અનાકાપલ્લેમાં ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો જલ્દી સાજા થાય. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2047490) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali-TR , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam