આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર આદિવાસી સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 15 AUG 2024 2:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં પીએમએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા ચળવળની કઠોર યાત્રા પર ચિંતન કર્યું અને કહ્યું, “સ્વતંત્રતા ચળવળનો સમયગાળો સંઘર્ષનો રહ્યો છે. યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને આદિવાસીઓ, દરેકે ગુલામી સામે સતત લડત આપી હતી. તેમના શબ્દોએ ભારતની આઝાદીમાં યોગદાન આપનારા વિવિધ જૂથોના વિવિધ અને સંયુક્ત પ્રયાસોને પ્રકાશિત કર્યા હતા.

ભગવાન બિરસા મુંડાને વિશેષ શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ કહ્યું કે, "દેશ તેમની નિઃસ્વાર્થ બલિદાન અને રાષ્ટ્રની સેવા માટે કાયમ તેમનો ઋણી રહેશે." તેમણે આઝાદીની લડાઈમાં મુંડાની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો, જેમણે 22 વર્ષની નાની વયે બ્રિટિશ રાજના પાયા હચમચાવી દીધા હતા.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2045605) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Punjabi , Tamil