પ્રધાનમંત્રીનું કાર્યાલય
આપણે આપણા રાષ્ટ્રમાં એકતા અને ભાઈચારાના બંધનોની હંમેશા રક્ષા કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Posted On:
14 AUG 2024 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિભાજન દરમિયાન પ્રભાવિત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. વિભાજન ભયાનક સ્મૃતિ દિવસ નિમિત્તે, X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ ભાગલાથી અસંખ્ય લોકો પર પડેલી ગંભીર અસર અને વેદનાને યાદ કરી.
માનવીય સ્થિતિસ્થાપકતાને વખાણતા, શ્રી મોદીએ દેશમાં એકતા અને ભાઈચારાના બંધનોની રક્ષા કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"#PartitionHorrorsRemembranceDay પર, અમે એવા અસંખ્ય લોકોને યાદ કરીએ છીએ જેઓ ભાગલાની ભયાનકતાને કારણે પ્રભાવિત થયા અને ખૂબ જ સહન કર્યું હતું. આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે, જે માનવીય સ્થિતિસ્થાપકતાની શક્તિને દર્શાવે છે. ભાગલાથી પ્રભાવિત થયેલા ઘણા લોકોએ તેમના જીવનનું પુનઃનિર્માણ કર્યું અને અપાર સફળતા પ્રાપ્ત કરી. આજે અમે અમારા રાષ્ટ્રમાં એકતા અને ભાઈચારાના બંધનોની હંમેશા સુરક્ષા કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2045108)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam