પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 AUG 2024 8:23PM by PIB Ahmedabad

આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.

આ દુર્ઘટના સામાન્ય નથી, સેંકડો પરિવારોના સપના બરબાદ થઈ ગયા છે. અને કુદરતે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે, મેં ત્યાં જઈને પરિસ્થિતિ જોઈ છે. હું રાહત શિબિરોમાં ઘણા પીડિત પરિવારોને પણ મળ્યો છું, જેમણે તે સમયે શું જોયું અને શું સહન કર્યું તેની વિગતવાર માહિતી તેમની પાસેથી સાંભળી છે. હું હોસ્પિટલમાં એવા તમામ દર્દીઓને પણ મળ્યો છું જેઓ આ દુર્ઘટનાને કારણે વિવિધ પ્રકારની ઈજાઓને કારણે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

આવા સંકટના સમયમાં, જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ, ત્યારે આપણને કેટલું સારું પરિણામ મળે છે. તે જ દિવસે સવારે મેં માનનીય મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને મેં કહ્યું હતું કે અમે દરેક પ્રકારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે પહોંચીશું. મેં અમારા એક MoSને પણ તરત જ અહીં મોકલ્યા. એસડીઆરએફના લોકો હોય, એનડીઆરએફના લોકો હોય, સેનાના લોકો હોય, પોલીસ કર્મચારીઓ હોય, સ્થાનિક તબીબી હોય કે સ્થાનિક એનજીઓ હોય, સેવાલક્ષી સંસ્થાઓ હોય, બધાએ તરત જ, આપત્તિગ્રસ્ત લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. જે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમની ખોટ પૂરી પાડવી તો આપણા માનવીઓ માટે શક્ય નથી, પરંતુ તેમના ભાવિ જીવન અને તેમના સપના ચકનાચૂર ન થાય તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને ભારત સરકાર અને દેશની સામૂહિક જવાબદારી છે જે અહીંના સંકટ પીડિતોની સાથે છે.

ગઈકાલે મેં અમારા આંતરિક મંત્રીઓની સંકલન ટીમને અહીં સરકારમાં મોકલી હતી. ગઈકાલે તેઓ માનનીય મુખ્યમંત્રીને મળ્યા, અધિકારીઓને મળ્યા અને તેઓ પણ બધું જોઈને ગયા. અને માનનીય મુખ્યમંત્રીએ મને કહ્યું છે તેમ તેઓ સંપૂર્ણ વિગતો સાથેનું મેમોરેન્ડમ મોકલશે. અને હું આ પરિવારના સભ્યોને ખાતરી આપું છું કે તેઓ એકલા નથી. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે દેશના સામાન્ય નાગરિકો, આ સંકટની ઘડીમાં આપણે સૌ તેમની સાથે છીએ.

સરકાર દ્વારા નીતિઓ અને નિયમો અનુસાર આપત્તિ વ્યવસ્થાપન માટે મોકલવામાં આવેલા ભંડોળનો મોટો હિસ્સો પહેલેથી જ આપવામાં આવ્યો છે, અને અમે વધુ ભાગ તરત જ બહાર પાડી દીધો છે. અને મેમોરેન્ડમ આવતાની સાથે જ ભારત સરકાર આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે ખૂબ જ ઉદારતાથી કેરળ સરકારની સાથે ઊભી રહેશે. અને હું નથી માનતો કે ફંડના અભાવે અહીં કોઈ કામ અટકશે.

જ્યાં સુધી જાનહાનિનો સવાલ છે, અમારા માટે આ પરિવારોએ ફરી એકવાર પરિવારમાં બધું ગુમાવ્યું છે કારણ કે તેમના નાના બાળકો છે. આ માટે આપણે લાંબા ગાળાની યોજના બનાવવી પડશે. હું આશા રાખું છું કે રાજ્ય સરકાર તેના પર વિગતવાર કામ કરશે અને ભારત સરકાર પણ આમાં શક્ય તેટલું યોગદાન આપશે.

પરંતુ મને જેમ હમણાં મુખ્યમંત્રીજી જણાવી રહ્યાં હતા, મેં આવી દુર્ઘટના ખૂબ નજીકથી જોઈ અને અનુભવી છે. 1979માં, આજથી 40-45 વર્ષ પહેલાની વાત છે. ગુજરાતમાં મોરબીમાં એક ડેમ હતો અને ભારે વરસાદ પડ્યો હતો અને ડેમ સંપૂર્ણ રીતે ધરાશાયી થયો હતો. અને તમે કલ્પના કરી શકો છો, તે મચ્છુ ડેમ ઘણો મોટો હતો. જેથી સંપૂર્ણ પાણી અને મોરબી એક શહેર છે, તેમાં પ્રવેશ્યું અને સમગ્ર શહેરમાં 10-10, 12-12 ફૂટ પાણી હતું. ત્યાં અઢી હજારથી વધુ લોકોના મોત થયા હતા. અને તે પણ માટીનો બંધ હતો, તેથી દરેક ઘરમાં માટી-માટી હતી, એટલે કે, હું લગભગ છ મહિના ત્યાં રહ્યો, તે સમયે હું સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. અને કાદવ વચ્ચે ઊભી થતી સમસ્યાઓ અને તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે હું જાણું છું, કારણ કે મેં સ્વયંસેવક તરીકે કામ કર્યું છે. તેથી હું પણ કલ્પના કરી શકું છું કે જ્યારે આ પરિવારો કાદવમાં ડૂબી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે. અને તેમાં પણ જ્યારે કેટલાક લોકો પોતાનો જીવ બચાવીને બહાર આવ્યા છે, તો તેમને જોઈને એવું લાગે છે કે ભગવાને તેમને કેવી રીતે આશીર્વાદ આપ્યા છે અને તેમને બચાવ્યા છે.

તેથી હું આ સ્થિતિનું ખૂબ સારી રીતે અનુમાન લગાવી શકું છું અને હું તમને ખાતરી આપું છું કે દેશ અને ભારત સરકાર કોઈ કસર છોડશે નહીં. જેમ જેમ તમારી પાસેથી વિગતો આવશે કે પછી તે આવાસની વાત હોય, કે પછી શાળા બનાવવાની, કે રસ્તાના માળખાકીય કામની, આ બાળકોના ભવિષ્ય માટે કોઈ વ્યવસ્થા કરવાની વાત હોય, જેવી આ અંગેની વિગતો તૈયાર કરીને તમારા તરફથી આવશે,  હું તમને ખાતરી આપું છું કે અમારા તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. અને હું પોતે, મારું હૃદય ભારે હતું, કારણ કે હું ઈચ્છતો ન હતો કે મારા આવવાથી અહીં બચાવ કામગીરી અને રાહત પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ આવે.

પરંતુ આજે મેં તમામ બાબતોને સંપૂર્ણ વિગતવાર જોઈ છે અને જ્યારે પ્રથમ વખત માહિતી મળે છે, ત્યારે નિર્ણય લેવાનું સરળ બને છે. અને હું તમને ફરી એકવાર ખાતરી આપું છું કે ભારત સરકાર મુખ્યમંત્રીની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરશે.

આભાર!

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2044250) Visitor Counter : 14