નાણા મંત્રાલય

કેન્દ્રીય બજેટ 2024-25માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે ₹ 1.52 લાખ કરોડની જોગવાઈ


ખરીફ માટે ડિજિટલ પાક સર્વે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 400 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે

તેલીબિયાં માટે ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે

શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયાના ક્લસ્ટરો મુખ્ય વપરાશ કેન્દ્રોની નજીક વિકસાવવામાં આવશે

બજેટમાં ઝીંગા બ્રીડસ્ટોક્સ માટે ન્યુક્લિયસ સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક સેટ કરવા માટે નાણાકીય સહાયની જાહેરાત

Posted On: 23 JUL 2024 12:59PM by PIB Ahmedabad

કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા વધારવા માટેનાં પગલાંનાં ભાગરૂપે કેન્દ્રીય અંદાજપત્ર 2024-25માં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ સીડ્સ  માટે '‘આત્મનિર્ભરતા’, શાકભાજીનાં ઉત્પાદન માટે મોટા પાયે ક્લસ્ટર્સ અને શ્રિમ્પ બ્રૂડસ્ટોક્સ માટે ન્યુક્લિયસ બ્રીડિંગ સેન્ટરનાં નેટવર્ક માટે નાણાકીય સહાય સહિત કેટલાંક પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XB5U.jpg

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી ઉત્સાહિત, સરકાર, રાજ્યોની ભાગીદારીમાં, 3 વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોને આવરી લેવા માટે કૃષિમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ના અમલીકરણની સુવિધા આપશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરતાં કહ્યું હતું કે, આ વર્ષ દરમિયાન 400 જિલ્લાઓમાં ડીપીઆઈનો ઉપયોગ કરીને ખરીફ માટે ડિજિટલ પાક સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 6 કરોડ ખેડુતો અને તેમની જમીનની વિગતો ખેડૂત અને જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે. શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું કે, જનસમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા 5 રાજ્યોમાં સક્ષમ બનાવવામાં આવશે.

કઠોળ અને તેલીબિયાં માટેનાં મિશન

કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સરકાર તેમનાં ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત કરશે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે આંશિક રીતે કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 રજૂ કરતાં જણાવ્યું હતું કે વચગાળાના બજેટમાં જાહેર થયા મુજબ સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલીબિયાં માટે 'આત્મનિર્ભરતાહાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

શાકભાજીનું ઉત્પાદન અને પુરવઠા શ્રુંખલાઓ

નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયે ક્લસ્ટરો મુખ્ય વપરાશ કેન્દ્રોની નજીક વિકસિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂત-ઉત્પાદક સંગઠનો, સહકારી મંડળીઓ અને શાકભાજી પુરવઠા શ્રુંખલાઓ માટે સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપશે, જેમાં કલેક્શન, સ્ટોરેજ અને માર્કેટિંગ સામેલ છે.

ઝીંગાનું ઉત્પાદન અને નિકાસ

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઝીંગા બ્રુડસ્ટોક્સ માટે ન્યુક્લિયસ સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક સ્થાપિત કરવા નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે ઝીંગા ઉછેર, પ્રોસેસિંગ અને નિકાસ માટે નાબાર્ડ મારફતે ધિરાણની સુવિધા આપવામાં આવશે.

કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા નવ અગ્રતા ક્ષેત્રોમાં કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા પ્રથમ છે. બજેટ 2024-25માં કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્ર માટે ₹1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 'અન્નદાતા' (ખેડૂત)ને ચાર મુખ્ય જાતિઓમાંની એક ગણાવીને, જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે તમામ મોટા પાક માટે એક મહિના પહેલા ઊંચા લઘુતમ ટેકાના ભાવોની જાહેરાત કરી છે, જે ખર્ચ કરતા ઓછામાં ઓછા 50 ટકાના માર્જિનના વચનને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી, જેનો લાભ 80 કરોડથી વધારે લોકોને મળ્યો હતો.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035724) Visitor Counter : 19