નાણા મંત્રાલય

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આરોગ્યસંભાળ વધુ સસ્તી અને સુલભ બની છે


FY20માં પ્રાથમિક આરોગ્યસંભાળ ખર્ચનો હિસ્સો સરકારી આરોગ્ય ખર્ચ (GHE)ના 55.9% સુધી વધ્યો

2020માં બાળ મૃત્યુ દર પ્રતિ લાખ જીવંત જન્મો માટે ઘટીને 28 થયો; માતાનો મૃત્યુદર ઘટીને 97 પ્રતિ લાખ જીવંત જન્મ થયો

Posted On: 22 JUL 2024 2:45PM by PIB Ahmedabad

નેશનલ હેલ્થ એકાઉન્ટ્સ (એનએચએ)ના અંદાજ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં, આરોગ્યસંભાળ સામાન્ય લોકો માટે વધુ સસ્તી અને સુલભ બની છે, તેમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વે 2023-2024માં જણાવાયું છે.

સર્વેક્ષણમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એનએચએના તાજેતરના અંદાજો (નાણાકીય વર્ષ 2020 માટે) કુલ જીડીપીમાં સરકારી સ્વાસ્થ્ય ખર્ચ (જીએચઈ)ના હિસ્સામાં વધારો દર્શાવે છે તેમજ કુલ સ્વાસ્થ્ય ખર્ચ (ટીએચઈ)માં જીએચઈના હિસ્સામાં વધારો દર્શાવે છે.

વધુમાં, સર્વેક્ષણ સૂચવે છે કે, છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચનો હિસ્સો નાણાકીય વર્ષ 2015માં જીએચઇનાં 51.3 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2020માં જીએચઇનાં 55.9 ટકા થયો છે. જીએચઇમાં પ્રાથમિક અને ગૌણ સંભાળનો હિસ્સો નાણાકીય વર્ષ 2015માં 73.2 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2020માં 85.5 ટકા થયો છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન ખાનગી આરોગ્ય ખર્ચમાં પ્રાથમિક અને દ્વિતીયક સારસંભાળનો હિસ્સો 83.0 ટકાથી ઘટીને 73.7 ટકા થયો છે, જેને સર્વેક્ષણ ત્રીજા તબક્કાના રોગોના વધતા ભારણ અને પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે સરકારી સુવિધાઓના ઉપયોગને આભારી છે.

આ સર્વેમાં આરોગ્ય પરના સામાજિક સુરક્ષા ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે, જે નાણાકીય વર્ષ 2015માં 5.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2020માં 9.3 ટકા થયો છે. નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2020 વચ્ચે કુલ સ્વાસ્થ્ય ખર્ચ (એચએ)ની ટકાવારી સ્વરૂપે આઉટ-ઓફ-પોકેટ એક્સપેન્ડિચર (ઓઓપીઇ)માં પણ ઘટાડો થયો હતો.

આ વિકાસને પરિણામે, સર્વેક્ષણ શિશુ મૃત્યુ દર (આઇએમઆર) જેવા મુખ્ય સ્વાસ્થ્ય સૂચકાંકોમાં સુધારા પર ભાર મૂકે છે, જે વર્ષ 2013માં 1000 જીવિત જન્મદીઠ 39થી ઘટીને વર્ષ 2020માં 1000 જીવિત જન્મદીઠ 28 થયો હતો અને મેટરનલ મોર્ટાલિટી રેટ (એમએમઆર) વર્ષ 2014માં જીવિત જન્મદીઠ 167થી ઘટીને વર્ષ 2020માં દર લાખ જીવિત જન્મદીઠ 97 થયો હતો.

આગળ જતા, સર્વેક્ષણમાં બે વલણોની ભલામણ કરવામાં આવી છે જે નજીકના ભવિષ્યમાં દેશના આરોગ્ય અને રોગની પ્રોફાઇલ માટે નિર્ણાયક બની રહેશે. સૌપ્રથમ, સર્વેક્ષણ સરકાર અને સમગ્ર જનતાને તંદુરસ્ત આહાર અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની સલાહ આપે છે. બીજું, જાહેર આરોગ્ય એ રાજ્યનો વિષય હોવાને કારણે, સર્વેક્ષણ 'ઓછામાં ઓછા પ્રતિકારના માર્ગ' દ્વારા છેલ્લા માઇલ સુધી પહોંચવા માટે રાષ્ટ્રીય કાર્યક્રમો માટે રાજ્ય અને સ્થાનિક સ્તરના શાસનની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035107) Visitor Counter : 17