પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 26 JUN 2024 2:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને અનુભવથી ગૃહને ઘણો ફાયદો થશે.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"હું શ્રી ઓમ બિરલા જીને બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપવા માંગુ છું. ગૃહને તેમની આંતરદૃષ્ટિ અને અનુભવથી ઘણો ફાયદો થશે. તેમને આગળના કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ."

AP/GP/JD



(Release ID: 2028775) Visitor Counter : 36