રાષ્ટ્રપતિ સચિવાલય
ચૈત્ર સુકલાદી, ઉગાડી, ગુડી પડવા, ચેટી ચાંદ, નવરેહ અને સાજીબુ ચેરાઓબાના પર્વ પર રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
Posted On:
08 APR 2024 4:31PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ ચૈત્ર સુકલાદી, ઉગાડી, ગુડી પડવા, ચેતી ચાંદ, નવરેહ અને સાજીબુ ચેઈરોબાની પૂર્વ સંધ્યાએ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “ચૈત્ર સુકલાદી, ઉગાડી, ગુડી પડવા, ચેટી ચંદ, નવરેહ અને સાજીબુ ચેરાઈઓબાના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
વસંતઋતુ અને ભારતીય નવા વર્ષને આવકારવાના આ પ્રસંગો છે. આપણા દેશના વિવિધ ભાગોમાં ઉજવાતા આ તહેવારો શાંતિ, સૌહાર્દ અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવે છે. આ તહેવારો આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના પ્રતિક છે. આ પ્રસંગોએ આપણે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરીએ છીએ.
આ તહેવારો બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે અને આપણને આપણા રાષ્ટ્રના વિકાસ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરિત કરે.
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2017415)
Visitor Counter : 154