પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિવ્યા કુમારે ગાયેલું ભક્તિ ભજન “હર ઘર મંદિર હર ઘર ઉત્સવ” શેર કર્યું

Posted On: 13 JAN 2024 11:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા કુમાર દ્વારા ગાયેલું ભક્તિ ભજન હર ઘર મંદિર હર ઘર ઉત્સવશેર કર્યું છે, જેનું સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારે રચ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે સદીઓની રાહ જોયા પછી અયોધ્યા ધામમાં શુભ સમય નજીક આવી ગયો છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ શુભ અવસર પર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વત્ર ભગવાન રામની સ્તુતિ ગુંજી રહી છે.

ઉપરોક્ત ભક્તિ ગીત શેર કરતાં તેમણે કહ્યું કે આ પ્રસ્તુતિ દ્વારા તમે આસ્થા અને ભક્તિનું વાતાવરણ અનુભવશો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

સદીઓથી રાહ જોયા બાદ અયોધ્યા ધામમાં શુભ મુહૂર્ત નજીક છે. આ શુભ અવસર પર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વત્ર ભગવાન શ્રી રામની સ્તુતિ ગુંજી રહી છે. તમે આ પ્રસ્તુતી દ્વારા આસ્થા અને ભક્તિના વાતાવરણનો અનુભવ કરશો. #શ્રીરામભજન"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1995787) Visitor Counter : 98