પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે દેહરાદૂનની મુલાકાત લેશે અને ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે


સમિટની થીમ - શાંતિથી સમૃદ્ધિ

સમિટનો ઉદ્દેશ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે

Posted On: 06 DEC 2023 2:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બર, 2023ના રોજ દેહરાદૂન, ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, તેઓ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’ એ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેની થીમ - “શાંતિથી સમૃદ્ધિ” છે.

આ સમિટમાં વિશ્વભરમાંથી હજારો રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત અન્ય લોકોની ભાગીદારી જોવા મળશે.

CB/GP/JD



(Release ID: 1983073) Visitor Counter : 173