પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં થયેલી દુ:ખદ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 OCT 2023 1:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં થયેલા દુ:ખદ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જીવનના દુ: ખદ નુકશાનથી ઊંડો આઘાત લાગ્યો. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હ્રદયપૂર્વકની સંવેદના, અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. જેઓ સંડોવાયેલા છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1968721) Visitor Counter : 113