પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છત્રપતિ સંભાજીનગરમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 15 OCT 2023 9:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પીએમએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અકસ્માતને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે: PM @narendramodi”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1967852) Visitor Counter : 105