પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 10 OCT 2023 6:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.

ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥

ૐ શાંતિ...!”

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966396) Visitor Counter : 108