પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીની મન કી બાતને 9 વર્ષ પૂર્ણ થયા

Posted On: 03 OCT 2023 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, મન કી બાતમાં આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેમના માસિક રેડિયો કાર્યક્રમને આજે નવ વર્ષ પૂરા થતાં તેમની સામાજિક અસર પર પ્રકાશ પાડતો અભ્યાસ શેર કર્યો હતો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈઆઈએમ બેંગલુરુ દ્વારા સંશોધન કાર્ય કરવામાં આવ્યું, એવા આ અભ્યાસમાં પ્રધાનમંત્રીની મન કી બાતના 105 એપિસોડની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે, મન કી બાતને 9 વર્ષ પૂર્ણ થતાં, અહીં સ્ટેટ ઓફ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ દ્વારા એક રસપ્રદ અભ્યાસ છે, જે આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેની સામાજિક અસરને પ્રકાશિત કરે છે. તે આશ્ચર્યજનક છે કે અમે કેવી રીતે આ માધ્યમ દ્વારા જીવન પ્રવાસ અને સામૂહિક પ્રયાસોની ઘણી ઉજવણી કરી છે.

nm-4.com/hqauwf"

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963688) Visitor Counter : 99