પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નારી શક્તિને વંદન કર્યા
નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા ઉભરાયેલી ઊર્જા અમૃતકાળના સંકલ્પોને વધુ મજબૂત કરવા જઈ રહી હોવાનું કહ્યું
Posted On:
25 SEP 2023 10:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નારી નમન કરતાં કહ્યું છે કે તેઓ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં જ્યાં પણ ગયા છે ત્યાં માતાઓ, બહેનો અને પુત્રીઓએ બતાવેલા ઉત્સાહથી તેઓ અભિભૂત થયા છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે નારી શક્તિ વંદન અધિનિયમે તેમનામાં જે ઉર્જા ભરી છે તે અમૃતકાળના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નારી શક્તિને નમન!
બાબા વિશ્વનાથની નગરીમાં આજે હું જ્યાં પણ ગયો, ત્યાં માતાઓ, બહેનો અને દીકરીઓએ બતાવેલા ઉત્સાહથી હું અભિભૂત થઈ ગયો. નારી શક્તિ વંદન કાયદાએ આપણા પરિવારના આ સભ્યોમાં જે ઉર્જા ભરી છે તે અમૃતકાળના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1960277)
Visitor Counter : 171
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam