પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખેડૂતોને સસ્તા યુરિયા આપવા માટે રૂ. 10 લાખ કરોડની સબસીડી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
3000 રૂપિયાની કિંમતની યુરિયાની થેલી ખેડૂતોને 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છેઃ પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
15 AUG 2023 1:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કહ્યું હતું કે સરકારે ખેડૂતો માટે યુરિયા સબસિડી તરીકે રૂ. 10 લાખ કરોડ ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે “વૈશ્વિક સ્તરે રૂ. 3,000 પ્રતિ થેલીની કિંમત ધરાવતા યુરિયાને ખેડૂતોને પ્રતિ થેલી રૂ. 300ના સસ્તા દરે આપવા માટે, સરકારે યુરિયા સબસિડી તરીકે રૂ. 10 લાખ કરોડ ફાળવ્યા છે.

પીએમએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને માહિતી આપી હતી કે યુરિયાની બેગ જે કેટલાક વૈશ્વિક બજારોમાં ખેડૂતોને રૂ. 3,000 રૂપિયાથી વધુના ભાવે આપવામાં આવે છે. “યુરિયાની થેલીઓ જે કેટલાક વૈશ્વિક બજારોમાં 3,000માં વેચાય છે, તે હવે સરકાર આપણા ખેડૂતોને રૂ. 300માં વેચે છે, અને તેથી સરકાર રૂ. 10 લાખ કરોડની સબસિડી આપી રહી છે.
CB/GP/JD
(રીલીઝ આઈડી: 1949074)
મુલાકાતી સંખ્યા : 259
આ રીલીઝ વાંચો:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam