પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Posted On: 01 AUG 2023 8:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રુપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

મહારાષ્ટ્રના શાહપુરમાં થયેલી દુ:ખદ દુર્ઘટનાથી વ્યથિત છું. જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમારા વિચારો અને પ્રાર્થના ઘાયલ લોકો સાથે છે. NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે અને અસરગ્રસ્તોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રુપિયા એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રુપિયા: PM @narendramodi”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1944538) Visitor Counter : 154