પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 27મી જૂને મધ્યપ્રદેશની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર પાંચ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ (રાણી કમલાપતિ)-ઈન્દોર, ભોપાલ (રાણી કમલાપતિ)-જબલપુર, રાંચી-પટના, ધારવાડ-બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવશે

ગોવા, બિહાર અને ઝાંખંડને પ્રથમ વખત વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી મળશે

મુસાફરોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા અને પ્રવાસનને વેગ આપવા માટે ટ્રેનો

Posted On: 26 JUN 2023 12:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી જૂન, 2023ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે.

સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર પહોંચશે અને પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. પાંચ વંદે ભારત ટ્રેનો છે: ભોપાલ (રાણી કમલાપતિ)-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ)-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.

ભોપાલ (રાણી કમલાપતિ)-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ મધ્યપ્રદેશના બે મહત્વના શહેરો વચ્ચે સરળ અને ઝડપી મુસાફરીની સુવિધા આપશે અને આ પ્રદેશમાં સાંસ્કૃતિક, પ્રવાસી અને ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી બહેતર બનાવશે.

ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ મહાકૌશલ ક્ષેત્ર (જબલપુર)ને મધ્ય પ્રદેશના મધ્ય પ્રદેશ (ભોપાલ) સાથે જોડશે. ઉપરાંત, વિસ્તારના પ્રવાસન સ્થળોને પણ સુધરેલી કનેક્ટિવિટીનો લાભ મળશે.

રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ ઝારખંડ અને બિહાર માટે પ્રથમ વંદે ભારત હશે. પટના અને રાંચી વચ્ચે કનેક્ટિવિટી વધારતી આ ટ્રેન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે વરદાન સાબિત થશે.

ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ કર્ણાટકના મહત્વના શહેરો - ધારવાડ અને હુબલીને રાજ્યની રાજધાની બેંગલુરુ સાથે જોડશે. તે પ્રદેશના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ વગેરેને ઘણો લાભ કરશે.

ગોવા (મડગાંવ)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે અને ગોવા અને મધ્ય પ્રદેશ બંનેમાં પ્રવાસનને વેગ આપવામાં મદદ કરશે.

YP/GP/JD



(Release ID: 1935344) Visitor Counter : 210