પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જલ જીવન મિશનને મજબૂત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
09 JUN 2023 9:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશનને મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને જાહેર આરોગ્યમાં સ્વચ્છ પાણીની પહોંચની ભૂમિકાને રેખાંકિત કરી છે.
જલ શક્તિના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ થ્રેડમાં માહિતી આપી હતી કે WHOના રિપોર્ટ મુજબ યુનિવર્સલ ટેપ વોટર કવરેજથી 4 લાખ લોકો ઝાડાથી થતા મૃત્યુથી બચી શકે છે.
કેન્દ્રીય પ્રધાન દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“જલ જીવન મિશનની કલ્પના એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી કે દરેક ભારતીયને સ્વચ્છ અને સુરક્ષિત પાણીની પહોંચ મળે, જે જાહેર આરોગ્ય માટે નિર્ણાયક પાયો છે. અમે આ મિશનને મજબૂત કરવાનું અને અમારી હેલ્થકેર સિસ્ટમને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1931198)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam