પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીઢ અભિનેત્રી સુલોચનાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 04 JUN 2023 10:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેત્રી, સુલોચનાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;

સુલોચનાજીના નિધનથી ભારતીય સિનેમાની દુનિયામાં એક મોટો ખાલીપો પડી ગયો છે. તેમના અવિસ્મરણીય અભિનયે આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે અને પેઢીઓ સુધીના લોકો માટે તેઓ પ્રિય છે. તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1929816) Visitor Counter : 147