આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને લક્ષ્યાંકિત સબસિડીને મંજૂરી આપી

Posted On: 24 MAR 2023 9:14PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)ના લાભાર્થીઓને દર વર્ષે 12 રિફિલ સુધીના 14.2 કિલો સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીને મંજૂરી આપી છે. 1લી માર્ચ 2023 સુધીમાં PMUYના 9.59 કરોડ લાભાર્થીઓ છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ.6,100 કરોડ અને 2023-24 માટે રૂ.7,680 કરોડનો કુલ ખર્ચ થશે. સબસિડી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા થાય છે. જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) પહેલાથી જ 22મી મે, 2022થી આ સબસિડી આપી રહી છે.

 

વિવિધ ભૌગોલિક રાજકીય કારણોસર એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વધારો થયો છે. PMUY લાભાર્થીઓને એલપીજીના ઊંચા ભાવોથી બચાવવું મહત્વપૂર્ણ છે.

PMUY ગ્રાહકોને લક્ષ્યાંકિત સમર્થન તેમને LPGના સતત ઉપયોગ માટે પ્રોત્સાહિત કરે છે. PMUY ગ્રાહકોમાં સતત એલપીજી અપનાવવા અને વપરાશની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે જેથી તેઓ સંપૂર્ણપણે સ્વચ્છ રસોઈ ઇંધણ પર સ્વિચ કરી શકે. PMUY ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 2019-20માં 3.01 રિફિલ્સથી 20 ટકા વધીને 2021-22માં 3.68 થયો છે. તમામ PMUY લાભાર્થીઓ આ લક્ષિત સબસિડી માટે પાત્ર છે.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG), સ્વચ્છ રસોઈ ઇંધણ, ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારો માટે ઉપલબ્ધ બનાવવા માટે, સરકારે ગરીબ પરિવારોની પુખ્ત મહિલાઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન પ્રદાન કરવામે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી.

GP/JD

 



(Release ID: 1910534) Visitor Counter : 328