પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશના સિધીમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો


પીએમએનઆરએફમાંથી મૃતક માટે રૂ. 2 લાખ અને ઘાયલ થયેલા લોકો માટે રૂ. 50,000ની સહાય જાહેર

प्रविष्टि तिथि: 25 FEB 2023 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સિધીમાં બસના અકસ્માતને કારણે જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના પરિજન માટે અને ઘાયલ લોકો માટે રૂ. 50,000ની સહાય જાહેર કરી.

પ્રધાનમંત્રી કચેરીએ ટ્વીટ કર્યું;

સિધીમાં બસ અકસ્માત, મધ્યપ્રદેશ વેદના  અનુભવે છે. આ દુઃખદ સમયમાં, મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરું છું. મધ્યપ્રદેશ સરકાર અસરગ્રસ્ત બધાને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. ”

પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના પરિજન માટે આપવામાં આવશે. ઘાયલ લોકો માટે રૂ. 50,000 આપવામાં આવશે"

GP/JD


(रिलीज़ आईडी: 1902346) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam