પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહારના વૈશાલીમાં અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Posted On: 20 NOV 2022 11:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના વૈશાલીમાં થયેલા એક અકસ્માતમાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું; "બિહારના વૈશાલીમાં થયેલો અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi"

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877610) Visitor Counter : 185